http://gujarat-help.blogspot.com
મહાત્મા ગાંધી- ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી
નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા
હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર
મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે
પ્રેરણાદાયક રહ્યાછે. મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર
પાસેથી અહિસાનો ઉપયોગ કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ
રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ
પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ
સાબિત કરી બતાવ્યું. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને
હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર
બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે
બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના
પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી
લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો
નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું.
ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી
અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના
આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને
અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો
હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા.
ગુજરાત પરીક્ષા માહિતી અને સામગ્રી હેડ ક્લાર્ક ,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ડેપ્યુટી સબ ઇન્સ્પેક્ટર, સ્ટેણોગ્રેડ, રેવન્યુ સર્વેયર, સમાજ કલ્યાણ અધિકારી, ફિઝિયોથેરેપિસ્ટ ,રેવેન્યુ ડિપાર્ટમેંટ, બાગાયત, વોર્ડન, ફરમાસીસ્ટ, સર્વેયર, સામાજિક કલ્યાણ અધિકારી, . .. . . . . . . . GPSC, PSI, Head Clerk, GSSSB, DSP, Revenue sarvayera, Social Welfare Officer, Phijhiyotherapista cadre, revenue, Horticulture staff, warden, pharmasista, Surveyor, social welfare officer
Subscribe to:
Post Comments (Atom)
today's Popular
-
http://gujarat-help.blogspot.com સામાન્ય જ્ઞાન - 4 જાવા મલેશિયામાં ડતા સાપ હોય છે. જે વૃક્ષોમાં ડાળીઓ ઉપર પતંગની જેમ ચપટા થઇને હવામ...
-
http://gujarat-help.blogspot.com/ આઇ.એ.એસ. ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર આવી ગયો છે જેની યુવા મિત્રો દર વર્ષે આતુરતાથી રાહ...
-
http://gujarat-help.blogspot.com/ 362 ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો 363 કયો મોગલ રાજા ગુજરાતને હ...
-
http://gujarat-help.blogspot.com/ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતને પોતાનાં સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે....
-
http://gujarat-help.blogspot.com ગુજરાતનાં અભયારણ્યો ગિર સિંહનું અભયારણ્ય સ્થળ : જૂનાગઢ જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથ...
-
http://gujarat-help.blogspot.com/ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ આ પ્રશ્ન મુખ્યપરીક્ષા ઉપરાંત ઇન્ટરવ્યૂમાં પણ ચર્ચાનો મુદ...
-
http://gujarat-help.blogspot.com/ *સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના : (એસ.જી.**એસ.વાય.)* સ્વર્ણ જ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એટલે શું ?ય...
-
http://gujarat-help.blogspot.com ભારતનું નિવૉચન આયોગ-ચૂંટણી પંચ ચૂંટણીપંચ જે ટૂંકમાં ECI- Election Commission of INDIA તરીકે ઓળખાય છે...
-
http://gujarat-help.blogspot.com/ ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ ૧ ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ ૨ તેજસ બાક...
-
http://gujarat-help.blogspot.com/ 1 બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી 2 ...
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site