http://gujarat-help.blogspot.com
‘વાડ વિના વેલો ન ચડે.’
કહેવત
જાણીતી ‘પહેલો ઘા
રાણાનો’ એ પણ
કહેવત. ગાંધીજીને આ લાગુ પડે. ગાંધીજી સૌના બાપુ. સૌના આગેવાન. દેશને દોરનારા થયા.
આમાં ફિરોજશાહનો ફાળો. તેમણે આત્મકથામાં આ લખ્યું.
દક્ષિણ આફ્રિકામાં ગોરાઓનું રાજ. ગોરાઓની દાદાગીરી. ગોરા પોતાને મોટા ગણે. બીજાને હલકા ગણે. ગોરાઓએ રંગભેદ કીધો. ગોરા માટે બધું અનામત. રેલવેમાં ગોરાના ડબા જુદા. ગોરા માટે બગીચા જુદા. ગોરા માટે દવાખાનાં જુદાં. ગાધીજીએ આનો વિરોધ કીધો. લડત કરી. લડતનો પ્રચાર કરવા ભારત આવ્યા. ભારતમાં એ નવેનવા. અહીંના રાજકારણથી અજાણ. નેતાઓથી અજાણ. એ મુંબઈમાં સભા કરવા ઝંખે. ફિરોજશાહે મદદ આપી. ગાંધીજીને સભાજનોનો સંકોચ. તેમને ફિરોજશાહે સાથે દીધો. વખાણ કરી હિંમત વધારી. પહેલી સભા સારી થઈ. તેની છાપ પડી. ગાંધીજીમાં હિંમત આવી. તેમની નેતાગીરી ઊભી થઈ. ફિરોજશાહ ગાંધીજીની નેતાગીરીના પાયામાં. ફિરોજશાહ મુંબઈના પારસી. ૧૮૪૫માં તેમનો જન્મ. પિતા શેઠ મહેરવાનજી. ફિરોજશાહ ધનિક પિતાના પુત્ર. સોળ વર્ષે મેટ્રિક થયા. ૧૮૬૪માં બી.એ. થયા. છ જ માસમાં એમ.એ.ની પરીક્ષા આપી. સારા ગુણે પાસ થયા. આમ એક વર્ષમાં બે પદવી. બી.એ. પણ ખરા. એમ. એ. પણ ખરા !?
તે જમાનામાં પરદેશ ભણવા જનારા થોડા લોકો. બહાર જતાં સાત વાર વિચારે. અજાણ્યા લોકો. અજાણ્યો મુલક. આચાર-વિચાર બગાડે એવો ભય. ફિરોજશાહને શિષ્યવૃત્તિ મળી. વિલાયત ભણવા ગયા. વિલાયતનું પાટનગર લંડન. લંડનમાં દાદાભાઈ નવરોજી. તેમણે ઇંડિયન એસોસિયેશન સ્થાપેલું. તેમાં જોડાયા. લંડનમાં બીજા હિંદીઓ સુરેન્દ્રનાથ બેનરજી, મનમોહન ઘોષ અને તૈયબજી. તેમનો પરિચય થયો. એમની ભાઈબંધી થઈ. આજીવન એ ભાઈબંધી ટકી.
ફિરોજશાહે ખૂબ મહેનત કીધી. ૧૮૬૮માં બેરિસ્ટર થયા. ભારત આવવા નીકળ્યા. સ્ટીમરમાં વિલિયમ વેડરબર્નનો પરિચય થયો. તે ગોરા અધિકારી. તેમણે ભલામણ કરી. સરકારે ફિરોજશાહને જે. પી. બનાવ્યા. તે જમાનામાં જે. પી.નું મંડળ. તે મુંબઈનો વહીવટ કરે. તેમને વહીવટમાં તક મળી. એમનું જાહેરજીવન ઘડાયું.
મુંબઈમાં મોટેભાગે અંગ્રેજ વકીલો. હિંદી વકીલ-બેરિસ્ટર ઓછા. ફિરોજશાહ નવેનવા. ગોરાઓનો પ્રભાવ. હિંદીઓને કામ ના મળે. ફિરોજશાહ નોખી માટીના માનવી. અદાલતોમાં જાય. ચુકાદાનો અભ્યાસ કરે. હેવાલો વાંચે. છાપામાં લેખો લખે. નાટકના રસિયા. છાપામાં નાટકનાં વિવેચન લખે. ધર્માદા પૈસા ભેગા કરવા નાટક ભજવે. ફિરોજશાહની ધીરજ. હસમુખો ચહેરો. સુંદર રીતભાત. આથી અંગ્રેજ વકીલ મિત્ર બન્યા. ન્યાયધીશો સાથે સંબંધ થયો. કેસ મળતા થયા. ફિરોજશાહ જીતતા ગયા. નામના વધતી ગઈ. સરકાર તરફથી દરખાસ્ત આવી. દરખાસ્ત ન્યાયધીશ બનવાની. ફિરોજશાહને નોકરી ન ગમે. જાહેરજીવનના રસિયા એમણે ના પાડી.
દાદાભાઈનું ઇંગ્લેન્ડમાં મંડળ. એનું નામ વેસ્ટ ઇન્ડિયા એસોસિયેશન. એની મુંબઈમાં શાખા. ફિરોજશાહ એના મંત્રી થયા. હિંદીઓનાં રાજકીય હિતોની રક્ષા, આર્થિક અવદશાની રજૂઆત. આ હતો તેનો હેતુ.
ફિરોજશાહ નીડર. સુધરાઈનો વહીવટ પ્રજાને આપવાના હિમાયતી. આવી માગણી કરનાર તે પહેલા. ૧૮૭૪માં મુંબઈમાં કોમી તોફાનો થયાં. પારસીઓ અને મુસલમાનો વચ્ચેનાં તોફાનો. ફિરોજશાહ તોફાની વિસ્તારોમાં ગયા. સરકારને કડક બનવા કહ્યું. પારસીઓને નીડર બનવા સલાહ આપી. ૧૮૭૮માં લિટને છાપાં પર અંકુશ મૂક્યો. ફિરોજશાહે વિરોધ કીધો. તેમનો પ્રભાવ વધ્યો. ધી બૉમ્બે પ્રેસિડંસી એસોસિયેશન. ૧૮૮૫માં એની સ્થાપના. સ્થાપકોમાંના એક ફિરોજશાહ. કૉંગ્રેસના સ્થાપકોમાં પણ તે એક. આરંભથી જ એમને કૉંગ્રેસમાં રસ. ફિરોજશાહ કોમવાદના વિરોધી. ગોરાઓ અને હિંદીઓને સરખા ગણે. એમનાં ભાષણો અસરકારક. ઘેરો, પડછંદ અવાજ. બોલે તો સભા ગજવે. તે જમાનામાં ભણેલા ઓછા. સભાઓમાં આવા વક્તાની અસર થાય. ૧૮૮૯માં મુંબઈમાં કૉંગ્રેસ અધિવેશન. એના એ સ્વાગતપ્રમુખ. ૧૮૯૦માં કલકત્તા અધિવેશન. એના એ પ્રમુખ. સરકારે એમને ‘સર’ ની પદવી આપી. લોકોએ તેમને સિંહ ગણ્યા.
૧૮૯૩માં મુંબઈ ધારાસભાની રચના થઈ, મુંબઈ કૉર્પોરેશનના પ્રતિનિધિ તરીકે ફિરોજશાહ નિમાયા. મુંબઈ ધારાસભાના પ્રતિનિધિ તરીકે દિલ્હીની વડી ધારાસભામાં ગયા. એકસાથે બે ધારાસભામાં સભ્ય. ત્યારે આવું થઈ શકતું.
મુંબઈની ધારાસભા હોય કે દિલ્હીની. ફિરોજશાહ કોઈથી દબાતા નહિ. કાયદાની આંટીઘૂંટીઓના એ અભ્યાસી. ક્લાકો સુધી બોલ્યા કરે. એમની એક જ વાત. ગોરા અને હિંદી. સૌ સરખા. ભારત બ્રિટિશ સામ્રાજ્યનું અંગ. બ્રિટનની મહારાણીની સૌ પ્રજા, પ્રજા સૌ સરખી. સૌને સરખા હક.
મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશન. એના સાચા ઘડવૈયા ફિરોજશાહ. મુંબઈના મેયર થયા. એમણે નવી ભાતે પાડી. સરકાર પાસેથી વધુ હક લીધા. કૉર્પોરેશનમાં કમિશનરની બોલબાલા. ફિરોજશાહ કમિશનરથી ન ગભરાય. આથી તે મુંબઈના બેતાજ બાદશાહ મનાયા.
સરકારે તેમને મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવ્યા. જોકે તે ઝાઝું જીવ્યા નહિ. મુંબઈના તે પ્રથમ હિંદી મેયર. મુંબઈ યુંનિવર્સિટીના તે પ્રથમ હિંદી વાઇસ ચાન્સેલર.
ફિરોજશાહ જીવ્યા ખુમારીભેર. કૉંગ્રેસમાં તેઓ મવાળવાદી જૂથમાં કૉંગ્રેસ પર એમની પૂરી પકડ. એ ઇચ્છે તેવા ઠરાવ થાય. તે ઇચ્છે તે પ્રમુખ બને. ફિરોજશાહે શક્તિ સેવા માટે વાપરી. દેશનું ગૌરવ વધાર્યું.
૧૯૧૫માં અવસાન થયું. જાણે ગાંધીજી માટે રસ્તો થયો. નવા યુગનાં મંડાણ થયાં.
ફિરોજશાહ મહેતા

દક્ષિણ આફ્રિકામાં ગોરાઓનું રાજ. ગોરાઓની દાદાગીરી. ગોરા પોતાને મોટા ગણે. બીજાને હલકા ગણે. ગોરાઓએ રંગભેદ કીધો. ગોરા માટે બધું અનામત. રેલવેમાં ગોરાના ડબા જુદા. ગોરા માટે બગીચા જુદા. ગોરા માટે દવાખાનાં જુદાં. ગાધીજીએ આનો વિરોધ કીધો. લડત કરી. લડતનો પ્રચાર કરવા ભારત આવ્યા. ભારતમાં એ નવેનવા. અહીંના રાજકારણથી અજાણ. નેતાઓથી અજાણ. એ મુંબઈમાં સભા કરવા ઝંખે. ફિરોજશાહે મદદ આપી. ગાંધીજીને સભાજનોનો સંકોચ. તેમને ફિરોજશાહે સાથે દીધો. વખાણ કરી હિંમત વધારી. પહેલી સભા સારી થઈ. તેની છાપ પડી. ગાંધીજીમાં હિંમત આવી. તેમની નેતાગીરી ઊભી થઈ. ફિરોજશાહ ગાંધીજીની નેતાગીરીના પાયામાં. ફિરોજશાહ મુંબઈના પારસી. ૧૮૪૫માં તેમનો જન્મ. પિતા શેઠ મહેરવાનજી. ફિરોજશાહ ધનિક પિતાના પુત્ર. સોળ વર્ષે મેટ્રિક થયા. ૧૮૬૪માં બી.એ. થયા. છ જ માસમાં એમ.એ.ની પરીક્ષા આપી. સારા ગુણે પાસ થયા. આમ એક વર્ષમાં બે પદવી. બી.એ. પણ ખરા. એમ. એ. પણ ખરા !?
તે જમાનામાં પરદેશ ભણવા જનારા થોડા લોકો. બહાર જતાં સાત વાર વિચારે. અજાણ્યા લોકો. અજાણ્યો મુલક. આચાર-વિચાર બગાડે એવો ભય. ફિરોજશાહને શિષ્યવૃત્તિ મળી. વિલાયત ભણવા ગયા. વિલાયતનું પાટનગર લંડન. લંડનમાં દાદાભાઈ નવરોજી. તેમણે ઇંડિયન એસોસિયેશન સ્થાપેલું. તેમાં જોડાયા. લંડનમાં બીજા હિંદીઓ સુરેન્દ્રનાથ બેનરજી, મનમોહન ઘોષ અને તૈયબજી. તેમનો પરિચય થયો. એમની ભાઈબંધી થઈ. આજીવન એ ભાઈબંધી ટકી.
ફિરોજશાહે ખૂબ મહેનત કીધી. ૧૮૬૮માં બેરિસ્ટર થયા. ભારત આવવા નીકળ્યા. સ્ટીમરમાં વિલિયમ વેડરબર્નનો પરિચય થયો. તે ગોરા અધિકારી. તેમણે ભલામણ કરી. સરકારે ફિરોજશાહને જે. પી. બનાવ્યા. તે જમાનામાં જે. પી.નું મંડળ. તે મુંબઈનો વહીવટ કરે. તેમને વહીવટમાં તક મળી. એમનું જાહેરજીવન ઘડાયું.
મુંબઈમાં મોટેભાગે અંગ્રેજ વકીલો. હિંદી વકીલ-બેરિસ્ટર ઓછા. ફિરોજશાહ નવેનવા. ગોરાઓનો પ્રભાવ. હિંદીઓને કામ ના મળે. ફિરોજશાહ નોખી માટીના માનવી. અદાલતોમાં જાય. ચુકાદાનો અભ્યાસ કરે. હેવાલો વાંચે. છાપામાં લેખો લખે. નાટકના રસિયા. છાપામાં નાટકનાં વિવેચન લખે. ધર્માદા પૈસા ભેગા કરવા નાટક ભજવે. ફિરોજશાહની ધીરજ. હસમુખો ચહેરો. સુંદર રીતભાત. આથી અંગ્રેજ વકીલ મિત્ર બન્યા. ન્યાયધીશો સાથે સંબંધ થયો. કેસ મળતા થયા. ફિરોજશાહ જીતતા ગયા. નામના વધતી ગઈ. સરકાર તરફથી દરખાસ્ત આવી. દરખાસ્ત ન્યાયધીશ બનવાની. ફિરોજશાહને નોકરી ન ગમે. જાહેરજીવનના રસિયા એમણે ના પાડી.
દાદાભાઈનું ઇંગ્લેન્ડમાં મંડળ. એનું નામ વેસ્ટ ઇન્ડિયા એસોસિયેશન. એની મુંબઈમાં શાખા. ફિરોજશાહ એના મંત્રી થયા. હિંદીઓનાં રાજકીય હિતોની રક્ષા, આર્થિક અવદશાની રજૂઆત. આ હતો તેનો હેતુ.
ફિરોજશાહ નીડર. સુધરાઈનો વહીવટ પ્રજાને આપવાના હિમાયતી. આવી માગણી કરનાર તે પહેલા. ૧૮૭૪માં મુંબઈમાં કોમી તોફાનો થયાં. પારસીઓ અને મુસલમાનો વચ્ચેનાં તોફાનો. ફિરોજશાહ તોફાની વિસ્તારોમાં ગયા. સરકારને કડક બનવા કહ્યું. પારસીઓને નીડર બનવા સલાહ આપી. ૧૮૭૮માં લિટને છાપાં પર અંકુશ મૂક્યો. ફિરોજશાહે વિરોધ કીધો. તેમનો પ્રભાવ વધ્યો. ધી બૉમ્બે પ્રેસિડંસી એસોસિયેશન. ૧૮૮૫માં એની સ્થાપના. સ્થાપકોમાંના એક ફિરોજશાહ. કૉંગ્રેસના સ્થાપકોમાં પણ તે એક. આરંભથી જ એમને કૉંગ્રેસમાં રસ. ફિરોજશાહ કોમવાદના વિરોધી. ગોરાઓ અને હિંદીઓને સરખા ગણે. એમનાં ભાષણો અસરકારક. ઘેરો, પડછંદ અવાજ. બોલે તો સભા ગજવે. તે જમાનામાં ભણેલા ઓછા. સભાઓમાં આવા વક્તાની અસર થાય. ૧૮૮૯માં મુંબઈમાં કૉંગ્રેસ અધિવેશન. એના એ સ્વાગતપ્રમુખ. ૧૮૯૦માં કલકત્તા અધિવેશન. એના એ પ્રમુખ. સરકારે એમને ‘સર’ ની પદવી આપી. લોકોએ તેમને સિંહ ગણ્યા.
૧૮૯૩માં મુંબઈ ધારાસભાની રચના થઈ, મુંબઈ કૉર્પોરેશનના પ્રતિનિધિ તરીકે ફિરોજશાહ નિમાયા. મુંબઈ ધારાસભાના પ્રતિનિધિ તરીકે દિલ્હીની વડી ધારાસભામાં ગયા. એકસાથે બે ધારાસભામાં સભ્ય. ત્યારે આવું થઈ શકતું.
મુંબઈની ધારાસભા હોય કે દિલ્હીની. ફિરોજશાહ કોઈથી દબાતા નહિ. કાયદાની આંટીઘૂંટીઓના એ અભ્યાસી. ક્લાકો સુધી બોલ્યા કરે. એમની એક જ વાત. ગોરા અને હિંદી. સૌ સરખા. ભારત બ્રિટિશ સામ્રાજ્યનું અંગ. બ્રિટનની મહારાણીની સૌ પ્રજા, પ્રજા સૌ સરખી. સૌને સરખા હક.
મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશન. એના સાચા ઘડવૈયા ફિરોજશાહ. મુંબઈના મેયર થયા. એમણે નવી ભાતે પાડી. સરકાર પાસેથી વધુ હક લીધા. કૉર્પોરેશનમાં કમિશનરની બોલબાલા. ફિરોજશાહ કમિશનરથી ન ગભરાય. આથી તે મુંબઈના બેતાજ બાદશાહ મનાયા.
સરકારે તેમને મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવ્યા. જોકે તે ઝાઝું જીવ્યા નહિ. મુંબઈના તે પ્રથમ હિંદી મેયર. મુંબઈ યુંનિવર્સિટીના તે પ્રથમ હિંદી વાઇસ ચાન્સેલર.
ફિરોજશાહ જીવ્યા ખુમારીભેર. કૉંગ્રેસમાં તેઓ મવાળવાદી જૂથમાં કૉંગ્રેસ પર એમની પૂરી પકડ. એ ઇચ્છે તેવા ઠરાવ થાય. તે ઇચ્છે તે પ્રમુખ બને. ફિરોજશાહે શક્તિ સેવા માટે વાપરી. દેશનું ગૌરવ વધાર્યું.
૧૯૧૫માં અવસાન થયું. જાણે ગાંધીજી માટે રસ્તો થયો. નવા યુગનાં મંડાણ થયાં.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site