http://gujarat-help.blogspot.com
ગુરુ હોય. ગોવિંદ હોય. બંને સાથે હોય. કોને પગે લાગવું ?
કવિ કહે,
ગોવિંદને
ઓળખાવનાર ગુરુ. ગુરુને પ્રથમ વંદન ઘટે. મહાત્મા ગાંધી આપણા બાપુ. બાપુના ગુરુ
ગોખલે. એમનું ના ગોપાલ કૃષ્ણ.
દેશને ઉપયોગી ઘણાં કામ. એનો ચીલો પાડનાર ગોખલે. મીઠા પર જબરો કર. ગોખલે એ ઘટાડવા મથ્યા. ફરજિયાત શિક્ષણ જરૂરી. શિક્ષણ પાછળ વધુ ખર્ચ જરૂરી. એ કરાવવા ગોખલે મથ્યાઅ. રાજકારણ આજે ધંધો બન્યું. રાજકારણ લાભકારણમાં પલટાયું. ગોખલેજી આના વિરોધી.
રાજકારણમાં શીલના હિમાયતી. તે રાજકારણને ધર્મકારણ માને. ફરજના ભાગરૂપે રાજકારણમાં માને.
ગોખલે ૧૮૬૬માં જન્મ્યા. નાની વયે પિતાનું અવસાન. ઘરની હાલત ગરીબ. મોટા ભાઈ ગોવિંદરાવ. તે નોકરી કરે અને ભણાવે. ગોપાળરાવ કરકસરથી રહે. ખૂબ વાંચે. વાંચે પણ ક્યાં? જાહેર દીવા નીચે. આમ કરી પૈસા બચાવે. ક્યારેક પાંચ-સાત ટંક ન જમે.
ગરીબીમાં હોશિયારી ઝળકી. ભણવામાં તેજસ્વી નીવડ્યા. ૧૮ વર્ષે બી. એ. થયા. વિલાયત ભણવા વિચારે. ગરીબીને લીધે ન ગયા. શિક્ષક બન્યા. ભણતાં ભણતાં અભ્યાસ માંડ્યો. કાયદાના અભ્યાસમાં બુદ્ધિ ચમકી. મહારાષ્ટ્રમાં ટિળકની બોલબાલા. આગરકરની નામના. આઝાદીની વાતો. ગોપાળરાવ તેમાં ખેંચાયા. ‘કેસરી’માં લખતા થયા. ‘મરાઠા’માં લખે. લખાણો વખાણાયાં. આગરકરનો ત્યાગ જબરો. સેવાભાવના જબરી. તેમના અનુયાયી બન્યા. ટિળક અને આગરકર વચ્ચે મતભેદ. મતભેદ અનુયાયીઓમાં ફેલાયો. ગોપાળરાવ ટિળકના વિરોધી થયા. વિરોધ અંગત ન હતો. કાર્યશૈલીનો હતો. વિચારોને હતો.
ગોપાળરાવ હવે ગોખલે નામે ઓળખાતા.
તેમણે અંકગણિતનું પુસ્તક લખ્યું. લોકમાન્ય ટિળકે પુસ્તક વખાણ્યું. ટિળક ગોખલે વચ્ચે મનભેદનો અભાવ હતો. માત્ર મતભેદ.
આગરકરને ગોખલે પર ભાવ. મહાદેવ ગોવિંદ રાનડે ત્યારે ખૂબ જાણીતા. મહારાષ્ટ્રમાં તેમની વગ. આગરકરે ગોખલેનો તેમનો પરિચય કરાવ્યો. રાનડેને ગોખલેએ ગુરુ માન્યા. ગોખલેના વિકાસમાં રાનડેની જબરી હૂંફ.
ગોખલેની વિવિધમુખી પ્રતિભા. રમતોનો ખૂબ શોખ. ક્રિકેટ વિશે લેખો લખે. ‘સુધારક’ પત્રમાં ગોખલેની કલમ ચાલે. લોકો રસથી તે વાંચે.
ડેક્કન સોસાયટીના મંત્રી બન્યા. તેના ફંડફાળા માટે ફર્યા. શિક્ષણમાં સુંદર કામ કર્યું. ફરગ્યુસન કૉલેજમાં તે અધ્યાપક. આજે નવો જમાનો. ડાબી આંખનો ડૉકટર જમણીની દવા ન કરે, આવી નિપુણતા ચાલે. ગોખલે આવા નહિ. ગણિત, અંગ્રેજી, ઇતિહાસ અને અર્થશાસ્ત્ર-ચાર ચાર વિષયના એ નિષ્ણાત. એ વિષયો કૉલેજમાં શીખવે. આ માટે ખૂબ વાંચે. ભારે શ્રમ કરે.
૧૮૮૯માં કૉંગ્રેસના બેઠક. તેમાં ભાગ લીધો. પછીની બે બેઠકોમાં સક્રિય રહ્યા. ૧૮૯૫માં કૉંગ્રેસની પૂના બેઠક. ગોખલે ત્યારે સહમંત્રી થયા. રાજકારણમાં નામના કાઢી.
૧૮૯૭માં રૉયલ કમિશન નિમાયું. હિંદનો વહીવટ તપાસવા એની રચના. કમિશન રજૂઆત સાંભળે. ગોખલે રજૂઆત માટે લંડન ગયાઅ. ત્યાં તેઓ હિંદી પોશાક પહેરતા. તેમની પાધડી અંગ્રેજોને ગમી. એમની જુબાની વખણાઈ. દેશમાં તેમની નામના ફેલાઈ.
૧૯૦૦માં મુંબઈ ધારાસભામાં નિમાયા. તેમની રજૂઆતમાં અભ્યાસ નીતરે. એમની દલીલોનો જવાબ મુશ્કેલ. આ પછી તે હિંદી ધારાસભાના સભ્ય થયા. ત્યાં તેમની અસરકારક રજૂઆત. કર્ઝન જેવાનેયે જવાબ અઘરા લાગે. તેમની રજૂઆતથી મીઠા પર કર ઘટ્યો. શિક્ષણમાં ખર્ચ વધારાયો.
૧૯૦૫માં તેમણે ભારત સેવક સમાજ સ્થાપ્યો. દેશસેવાના ભેખધારી આમાં જોડાય. હજી પણ આ સંસ્થા ચાલે છે.
૧૯૦૬માં ગાંધીજી સાથે પરિચય થયો. ગાંધીજીને તેમાં ગુરુ દેખાયા. ગાંધીજીને મન તે ગંગા જેવા-પવિત્ર અને પામી શકાય તેવા.
દક્ષિણ આફ્રિકાના પ્રશ્નમાં ગોખલી રસ લીધો. ગાંધીજીને મદદ કરી. પ્રશ્નના સમાધાન માટે તેમણે વગ વાપરી.
એમને કારણે ભારતમાં ગાંધીજીનો રાજકારણમાં પ્રવેશ સરળ બન્યો. તેમણે ગાંધીજીને હૂંફ આપી. મદદ આપી. તેમનો પરિચયો વધાર્યા.
ગોખલેનો સતત પરિશ્રમ. ખૂબ દોડધામ. આ બધાથી તબિયત લથડી. ૧૯૧૫માં તેમનું અવસાન થયું.
૫૦ વર્ષનું તેમનું આયુષ્ય. એટલા ટૂંકા ગાળામાં તેમનો અભ્યાસ, તેમની દેશદાઝ, તેમની ત્યાગભાવના, તેમની પરોપકારી વૃત્તિ – આ બધાથી તેમની નામના થઈ.
ગાંધીજીના વિચારગુરુ : ગોપાલકૃષ્ણ
ગોખેલે

દેશને ઉપયોગી ઘણાં કામ. એનો ચીલો પાડનાર ગોખલે. મીઠા પર જબરો કર. ગોખલે એ ઘટાડવા મથ્યા. ફરજિયાત શિક્ષણ જરૂરી. શિક્ષણ પાછળ વધુ ખર્ચ જરૂરી. એ કરાવવા ગોખલે મથ્યાઅ. રાજકારણ આજે ધંધો બન્યું. રાજકારણ લાભકારણમાં પલટાયું. ગોખલેજી આના વિરોધી.
રાજકારણમાં શીલના હિમાયતી. તે રાજકારણને ધર્મકારણ માને. ફરજના ભાગરૂપે રાજકારણમાં માને.
ગોખલે ૧૮૬૬માં જન્મ્યા. નાની વયે પિતાનું અવસાન. ઘરની હાલત ગરીબ. મોટા ભાઈ ગોવિંદરાવ. તે નોકરી કરે અને ભણાવે. ગોપાળરાવ કરકસરથી રહે. ખૂબ વાંચે. વાંચે પણ ક્યાં? જાહેર દીવા નીચે. આમ કરી પૈસા બચાવે. ક્યારેક પાંચ-સાત ટંક ન જમે.
ગરીબીમાં હોશિયારી ઝળકી. ભણવામાં તેજસ્વી નીવડ્યા. ૧૮ વર્ષે બી. એ. થયા. વિલાયત ભણવા વિચારે. ગરીબીને લીધે ન ગયા. શિક્ષક બન્યા. ભણતાં ભણતાં અભ્યાસ માંડ્યો. કાયદાના અભ્યાસમાં બુદ્ધિ ચમકી. મહારાષ્ટ્રમાં ટિળકની બોલબાલા. આગરકરની નામના. આઝાદીની વાતો. ગોપાળરાવ તેમાં ખેંચાયા. ‘કેસરી’માં લખતા થયા. ‘મરાઠા’માં લખે. લખાણો વખાણાયાં. આગરકરનો ત્યાગ જબરો. સેવાભાવના જબરી. તેમના અનુયાયી બન્યા. ટિળક અને આગરકર વચ્ચે મતભેદ. મતભેદ અનુયાયીઓમાં ફેલાયો. ગોપાળરાવ ટિળકના વિરોધી થયા. વિરોધ અંગત ન હતો. કાર્યશૈલીનો હતો. વિચારોને હતો.
ગોપાળરાવ હવે ગોખલે નામે ઓળખાતા.
તેમણે અંકગણિતનું પુસ્તક લખ્યું. લોકમાન્ય ટિળકે પુસ્તક વખાણ્યું. ટિળક ગોખલે વચ્ચે મનભેદનો અભાવ હતો. માત્ર મતભેદ.
આગરકરને ગોખલે પર ભાવ. મહાદેવ ગોવિંદ રાનડે ત્યારે ખૂબ જાણીતા. મહારાષ્ટ્રમાં તેમની વગ. આગરકરે ગોખલેનો તેમનો પરિચય કરાવ્યો. રાનડેને ગોખલેએ ગુરુ માન્યા. ગોખલેના વિકાસમાં રાનડેની જબરી હૂંફ.
ગોખલેની વિવિધમુખી પ્રતિભા. રમતોનો ખૂબ શોખ. ક્રિકેટ વિશે લેખો લખે. ‘સુધારક’ પત્રમાં ગોખલેની કલમ ચાલે. લોકો રસથી તે વાંચે.
ડેક્કન સોસાયટીના મંત્રી બન્યા. તેના ફંડફાળા માટે ફર્યા. શિક્ષણમાં સુંદર કામ કર્યું. ફરગ્યુસન કૉલેજમાં તે અધ્યાપક. આજે નવો જમાનો. ડાબી આંખનો ડૉકટર જમણીની દવા ન કરે, આવી નિપુણતા ચાલે. ગોખલે આવા નહિ. ગણિત, અંગ્રેજી, ઇતિહાસ અને અર્થશાસ્ત્ર-ચાર ચાર વિષયના એ નિષ્ણાત. એ વિષયો કૉલેજમાં શીખવે. આ માટે ખૂબ વાંચે. ભારે શ્રમ કરે.
૧૮૮૯માં કૉંગ્રેસના બેઠક. તેમાં ભાગ લીધો. પછીની બે બેઠકોમાં સક્રિય રહ્યા. ૧૮૯૫માં કૉંગ્રેસની પૂના બેઠક. ગોખલે ત્યારે સહમંત્રી થયા. રાજકારણમાં નામના કાઢી.
૧૮૯૭માં રૉયલ કમિશન નિમાયું. હિંદનો વહીવટ તપાસવા એની રચના. કમિશન રજૂઆત સાંભળે. ગોખલે રજૂઆત માટે લંડન ગયાઅ. ત્યાં તેઓ હિંદી પોશાક પહેરતા. તેમની પાધડી અંગ્રેજોને ગમી. એમની જુબાની વખણાઈ. દેશમાં તેમની નામના ફેલાઈ.
૧૯૦૦માં મુંબઈ ધારાસભામાં નિમાયા. તેમની રજૂઆતમાં અભ્યાસ નીતરે. એમની દલીલોનો જવાબ મુશ્કેલ. આ પછી તે હિંદી ધારાસભાના સભ્ય થયા. ત્યાં તેમની અસરકારક રજૂઆત. કર્ઝન જેવાનેયે જવાબ અઘરા લાગે. તેમની રજૂઆતથી મીઠા પર કર ઘટ્યો. શિક્ષણમાં ખર્ચ વધારાયો.
૧૯૦૫માં તેમણે ભારત સેવક સમાજ સ્થાપ્યો. દેશસેવાના ભેખધારી આમાં જોડાય. હજી પણ આ સંસ્થા ચાલે છે.
૧૯૦૬માં ગાંધીજી સાથે પરિચય થયો. ગાંધીજીને તેમાં ગુરુ દેખાયા. ગાંધીજીને મન તે ગંગા જેવા-પવિત્ર અને પામી શકાય તેવા.
દક્ષિણ આફ્રિકાના પ્રશ્નમાં ગોખલી રસ લીધો. ગાંધીજીને મદદ કરી. પ્રશ્નના સમાધાન માટે તેમણે વગ વાપરી.
એમને કારણે ભારતમાં ગાંધીજીનો રાજકારણમાં પ્રવેશ સરળ બન્યો. તેમણે ગાંધીજીને હૂંફ આપી. મદદ આપી. તેમનો પરિચયો વધાર્યા.
ગોખલેનો સતત પરિશ્રમ. ખૂબ દોડધામ. આ બધાથી તબિયત લથડી. ૧૯૧૫માં તેમનું અવસાન થયું.
૫૦ વર્ષનું તેમનું આયુષ્ય. એટલા ટૂંકા ગાળામાં તેમનો અભ્યાસ, તેમની દેશદાઝ, તેમની ત્યાગભાવના, તેમની પરોપકારી વૃત્તિ – આ બધાથી તેમની નામના થઈ.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site