http://gujarat-help.blogspot.com/
મહાન નાટ્યકાર અને મહાકવિ
ઈ. ૧૫૬૪ની ૨૩મી એપ્રિલે ઇંગ્લેન્ડના સ્ટ્રેટફર્ડ-અપૉન-ઍવન નામના નાના ગામના પિતા જૉનના ત્રીજા સંતાન અને જ્યેષ્ઠ પુત્ર તરીકે ઇંગ્લેન્ડના આ કવિ-નાટકકારનો જન્મ થયો. પાછળથી પિતા પૈસેટકે ઘસાઈ જતાં તેનાં માન-અધિકાર જતાં રહ્યાં. ગ્રામર સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ગામડાની શાળામાં શિક્ષકગીરી કરતો શેક્સપિયર ૧૮ વર્ષની વયે પોતાથી આઠ વર્ષ મોટી ઍન હેથવેને પરણ્યો.
ફરતી નાટકમંડળીઓનાં નાનપણમાં જોયેલાં નાટકોથી આકર્ષાઈ તે કોઈ મંડળી જોડે ગયો હોવાની વાયકા છે. કોઈ માને છે કે તેનાં નાટકોમાં કાયદાની ભાષા ખૂબ જ આવતી હોવાથી તેણે કોઈ વકીલની ગુમાસ્તાગીરી કરી હશે. ઈ. ૧૫૯૯માં ચાર ભાગીદારોમાંનો એક બની ગ્લૉબ થિયેટર બંધાવ્યું. તેને ‘સદ્દગૃહ્સ્થ‘ થવું હતું. ગામડામાં એ મહત્વાકાંક્ષા સફળ થવાનો સંભવ હતો નહિ તેથી ઈ. ૧૫૮૭માં ઘર ત્યજી લંડનનો માર્ગ લીધો. લંડનના ઉત્સાહ, શૌર્યને આત્મવિશ્વાસભર્યા વાતાવરણમાં તેણે પ્રવેશ કર્યો ત્યારે મનઃચક્ષુ સામે દેખાતું હતું ‘સદ્દગૃહસ્થનું જીવન.‘શરૂઆતમાં નાટ્ય-પ્રેક્ષકોના તે ઘોડા સાચવતો તે આખરે નાટકમંડળીમાં પાત્રો ભજવતો થયો હશે. તેના જીવન વિષેની આથી વિશેષ માહિતી મળતી નથી.
તેના જમાનામાં પણ નાટ્ય-અભિનેતાઓને સમાજનાં લગીરેય માન મળતું નહિ. પરંતુ સાથોસાથ મોટા, સારા માણસો તરફથી આશ્રય મળતો. સંભવ છે કે આવા આશ્રય દ્વારા પ્રવેશ મેળવી પ્રગતિ સાધવાની તેની ધારણા હશે. તખ્તાની દુનિયામાં પ્રવેશી તેણે ક્યારે અને કેટલી ભૂમિકા ભજવી તે વિષે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. લંડન આવ્યા પછી પાંચ વરસમાં શેક્સ- પિયરને ખ્યાતિ મળી ગઈ. પછી તેણે ઐતિહાસિક નાટકો લખી લોકોનું ધ્યાન અગત્યના પ્રશ્નો તરફ દોરવા માંડ્યું ત્યારે હૉલશિન્ડે ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખ્યો હતો. આ ગ્રંથમાંથી હિંમતપૂર્વક તફડંચી કરી તેને અનુપમ સૌન્દર્ય આપી અનન્ય રીતે એની રજૂઆત કરી. એ નાટકોમાં ઐતિહાસિક પાત્રો ઉપરાંત સમકાલીન જીવનમાંથી પણ તેણે બીજાપાત્રો ઉમેર્યાં. આ પાત્રો હાસ્યરસ ફેલાવી જનતાને ખુશી રાખતાં. તેણે ઘણાં સુખાન્તિક નાટકો પણ લખ્યાં. નાટકોનાં કથાનક કે વિષયો જડ્યાં ત્યાંથી શેક્સપિયરે ઉપાડ્યાં હતાં. તેને ભાન થયું કે જીવનનું સાચું દર્શન કરુણ દ્વારા જ થઈ શકે છે. મનુષ્યહ્રદયમાં ઊંડેઊંડે જઈ ત્યાંથી અનુભવનાં રત્નો શોધવાં જોઈએ. આ કાર્ય શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોએ કર્યું.
તેની લેખન-શક્તિ એટલી સમર્થ હતી, રંગભૂમિના કસબનું તેનું દાન એટલું તલસ્પર્શી હતું, નાટ્યરચનાની તેની ચાતુરી એટલી બિનહરીફ હતી, તેનું શબ્દસામર્થ્ય એટલું બળવાન હતું, શબ્દભંડોળ એટલું વિપુલ હતું અને માનવ-સ્વભાવનું વિશ્લેષણ કરવાની તેની શક્તિ એટલી તીવ્ર હતી કે એવી સર્વતોમુખી પ્રતિભા વડે જોતજોતામાં તે પોતાના સમકાલીન કવિઓ ને વિદ્વાનોમાં મોખરે જઈને ઊભો. એટલું જ નહિ પણ તેના સમકાલીન વિદ્વાન બેન જૉન્સના શબ્દોમાં કહીએ તો સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેણે અંકિત કરી.
૩૭ નાટકો, ૨ દીર્ઘકાવ્યો અને ૧૫૪ સૉનેટ એટલી અમર અને વિપુલ લેખન-સમૃદ્ધિ મૂકી, પોતાના વતનમાં નિવૃત્ત જીવન ગાળતો આ મેઘાવિન્ મહાનર ઈ. ૧૬૧૬ના એપ્રિલની ૨૩મીએ અવસાન પામ્યો
વિલિયમ શેક્સપિયર

ઈ. ૧૫૬૪ની ૨૩મી એપ્રિલે ઇંગ્લેન્ડના સ્ટ્રેટફર્ડ-અપૉન-ઍવન નામના નાના ગામના પિતા જૉનના ત્રીજા સંતાન અને જ્યેષ્ઠ પુત્ર તરીકે ઇંગ્લેન્ડના આ કવિ-નાટકકારનો જન્મ થયો. પાછળથી પિતા પૈસેટકે ઘસાઈ જતાં તેનાં માન-અધિકાર જતાં રહ્યાં. ગ્રામર સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ગામડાની શાળામાં શિક્ષકગીરી કરતો શેક્સપિયર ૧૮ વર્ષની વયે પોતાથી આઠ વર્ષ મોટી ઍન હેથવેને પરણ્યો.
ફરતી નાટકમંડળીઓનાં નાનપણમાં જોયેલાં નાટકોથી આકર્ષાઈ તે કોઈ મંડળી જોડે ગયો હોવાની વાયકા છે. કોઈ માને છે કે તેનાં નાટકોમાં કાયદાની ભાષા ખૂબ જ આવતી હોવાથી તેણે કોઈ વકીલની ગુમાસ્તાગીરી કરી હશે. ઈ. ૧૫૯૯માં ચાર ભાગીદારોમાંનો એક બની ગ્લૉબ થિયેટર બંધાવ્યું. તેને ‘સદ્દગૃહ્સ્થ‘ થવું હતું. ગામડામાં એ મહત્વાકાંક્ષા સફળ થવાનો સંભવ હતો નહિ તેથી ઈ. ૧૫૮૭માં ઘર ત્યજી લંડનનો માર્ગ લીધો. લંડનના ઉત્સાહ, શૌર્યને આત્મવિશ્વાસભર્યા વાતાવરણમાં તેણે પ્રવેશ કર્યો ત્યારે મનઃચક્ષુ સામે દેખાતું હતું ‘સદ્દગૃહસ્થનું જીવન.‘શરૂઆતમાં નાટ્ય-પ્રેક્ષકોના તે ઘોડા સાચવતો તે આખરે નાટકમંડળીમાં પાત્રો ભજવતો થયો હશે. તેના જીવન વિષેની આથી વિશેષ માહિતી મળતી નથી.
તેના જમાનામાં પણ નાટ્ય-અભિનેતાઓને સમાજનાં લગીરેય માન મળતું નહિ. પરંતુ સાથોસાથ મોટા, સારા માણસો તરફથી આશ્રય મળતો. સંભવ છે કે આવા આશ્રય દ્વારા પ્રવેશ મેળવી પ્રગતિ સાધવાની તેની ધારણા હશે. તખ્તાની દુનિયામાં પ્રવેશી તેણે ક્યારે અને કેટલી ભૂમિકા ભજવી તે વિષે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. લંડન આવ્યા પછી પાંચ વરસમાં શેક્સ- પિયરને ખ્યાતિ મળી ગઈ. પછી તેણે ઐતિહાસિક નાટકો લખી લોકોનું ધ્યાન અગત્યના પ્રશ્નો તરફ દોરવા માંડ્યું ત્યારે હૉલશિન્ડે ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખ્યો હતો. આ ગ્રંથમાંથી હિંમતપૂર્વક તફડંચી કરી તેને અનુપમ સૌન્દર્ય આપી અનન્ય રીતે એની રજૂઆત કરી. એ નાટકોમાં ઐતિહાસિક પાત્રો ઉપરાંત સમકાલીન જીવનમાંથી પણ તેણે બીજાપાત્રો ઉમેર્યાં. આ પાત્રો હાસ્યરસ ફેલાવી જનતાને ખુશી રાખતાં. તેણે ઘણાં સુખાન્તિક નાટકો પણ લખ્યાં. નાટકોનાં કથાનક કે વિષયો જડ્યાં ત્યાંથી શેક્સપિયરે ઉપાડ્યાં હતાં. તેને ભાન થયું કે જીવનનું સાચું દર્શન કરુણ દ્વારા જ થઈ શકે છે. મનુષ્યહ્રદયમાં ઊંડેઊંડે જઈ ત્યાંથી અનુભવનાં રત્નો શોધવાં જોઈએ. આ કાર્ય શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોએ કર્યું.
તેની લેખન-શક્તિ એટલી સમર્થ હતી, રંગભૂમિના કસબનું તેનું દાન એટલું તલસ્પર્શી હતું, નાટ્યરચનાની તેની ચાતુરી એટલી બિનહરીફ હતી, તેનું શબ્દસામર્થ્ય એટલું બળવાન હતું, શબ્દભંડોળ એટલું વિપુલ હતું અને માનવ-સ્વભાવનું વિશ્લેષણ કરવાની તેની શક્તિ એટલી તીવ્ર હતી કે એવી સર્વતોમુખી પ્રતિભા વડે જોતજોતામાં તે પોતાના સમકાલીન કવિઓ ને વિદ્વાનોમાં મોખરે જઈને ઊભો. એટલું જ નહિ પણ તેના સમકાલીન વિદ્વાન બેન જૉન્સના શબ્દોમાં કહીએ તો સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેણે અંકિત કરી.
૩૭ નાટકો, ૨ દીર્ઘકાવ્યો અને ૧૫૪ સૉનેટ એટલી અમર અને વિપુલ લેખન-સમૃદ્ધિ મૂકી, પોતાના વતનમાં નિવૃત્ત જીવન ગાળતો આ મેઘાવિન્ મહાનર ઈ. ૧૬૧૬ના એપ્રિલની ૨૩મીએ અવસાન પામ્યો
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site