એમ. એસ. શુભલક્ષ્‍મી

http://gujarat-help.blogspot.com/

એમ. એસ. શુભલક્ષ્‍મી

http://www.gurjari.net/uploaded/gallery/vishva/m-s-shubhlakshmi.jpgકર્ણાટક સંગીતનાં ઉત્કૃષ્‍ટ ગાયિકા
શુભલક્ષ્‍મીનો જન્મ. ઈ. ૧૯૧૬ના સપ્‍ટેમ્બર માસની સોળમી તારીખે થયો. પિતાનું નામ શન્મુખાવટિલું. તેઓ કુશળ વીણાવાદક હતા. માતા શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા હતાં. આમ માતા- પિતા પાસેથી જ શુભલક્ષ્‍મીને સંગીતના સંસ્કાર અને સંગીતનું શિક્ષણ પ્રાપ્‍ત થયાં. ૧૩ વર્ષની વયે તેમણે જાહેરમાં સંગીત પીરસ્યું તે આજ સુધી જનમેદની સમક્ષ સંગીત રજૂ કરતાં રહ્યાં છે અને પ્રશંસા પ્રાપ્‍ત કરતાં રહ્યાં છે. એમના કોયલ સમા મધુર કંઠે કેવળ દેશના જ નહિ પરંતુ પરદેશના સંગીતરસિકોનાં મન જીત્યાં છે. તેમનું વીણાવાદન પણ ઉચ્ચ કોટિનું છે.
તેમણે મીરાં‘ નામની ફિલ્મમાં મીરાં તરીકે અભિનય આપ્‍યો હતો. હિંદી તથા તામિલ એમ બે ભાષામાં ઊતરેલી આ ફિલ્મ લોકાદર પામી હતી. ફિલ્મમાં આવતાં મીરાંના તમામ ભજનો શુભલક્ષ્‍મીએ પોતે જ ગાયાં છે. આ ફિલ્મ પછી અભિનયની દુનિયાને અલવિદા કરી સમગ્ર જીવન સંગીતસાધનામાં જ વિતાવવાનો નિર્ણય લીધો.
ઈ. ૧૯૭૪થી શરૂ કરી સાતેક વર્ષ સુધી તેમણે આકાશવાણી તેમજ દૂરદર્શનના સંગીત- કાર્યક્રમોનાં નિર્માત્રી તરીકે સેવા આપી હતી. દેશભરમાં તેમજ વિદેશમાં અનેક સ્થળે તેમણે સંગીતના સફળ કાર્યક્રમ આપ્‍યા છે. ઈ. ૧૯૫૪માં તેમને પદ્મભૂષણના ખિતાબથી ભારત સરકારે નવાજ્યાં હતાં. ઈ. ૧૯૫૬માં સંગીતનાટક એકેડેમે એવોર્ડ એમને એનાયત થયો. ઈ. ૧૯૭૪માં એશિયન નોબલ પારિતોષિક સમો મેક્સેસે ઍવૉર્ડ એમને આપવામાં આવ્યો. ઈ. ૧૯૫૭માં ભારત સરકારે પદ્મવિભૂષણ‘ ઇલકાબથી બહુમાન કર્યું. અનેક યુનિવર્સિટીઓએ તથા પ્રખ્યાત સંસ્થાઓએ માનાર્હ પદવીથી તેમને સન્માન્યાં છે.
ઈ. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં યુનો‘ સમક્ષ તેમણે સંગીતની રસલહાણ કરી હતી. ઈ. ૧૯૮૨માં લંડન ખાતે ઊજવાયેલા ઇન્ડિયા ફેસ્ટિવલના ઉદ્દઘાટન પ્રસંગે તેમણે સંગીત-રસથાળ અર્પી ભારતના સંગીતને સુકીર્તિ અપાવી હતી. વ્યક્તિ તરીકે પણ શુભલક્ષ્‍મી ઉચ્ચ ચારિત્ર્ય ધરાવે છે. તેમનો સૌજન્યશીલ સ્વભાવસૌ પ્રત્યે સન્માનભરી લાગણી અને હ્રદયની ઉદારતાથી એક સન્નારી તરીકે પણ તેમણે કીર્તિ સંપાદન કરી છે. તેમણે ટી. સદાશીવમ્ સાથે લગ્ન કર્યા છે. પતિ ઉંમરમાં મોટા હોવા છતાં તેમનું લગ્નજીવન સુમધુર અને સૌમ્ય રીતે વીતી રહ્યું છે. પતિને અગાઉથી થયેલી પુત્રીઓને પોતાની પુત્રીઓ ગણી તેઓનો ઉછેર કર્યો છે.
કર્ણાટકી સંગીતપદ્ધતિ પ્રારંભનાં વર્ષોમાં ઉત્તર ભારતમાં બહુ જાણીતી ન હતી. આજે પણ એક એક વર્ગ એવો છે જે કર્ણાટકી તેમજ ઉત્તર ભારતીય બંને સંગીત પર સમાન પ્રભુત્વ પ્રાપ્‍ત કરી દેશભરમાં વિખ્યાતિ પ્રાપ્‍ત કરી છે.
અત્યારે (ઈ. ૧૯૯૭માં) ૮૧ વર્ષની જૈફ ઉંમરે પહોંચ્યાં છતાં તેમના ચહેરા પર સંસ્કાર અને સંપન્નતાનું તેજ પ્રકાશી રહ્યું દેખાય છે. શુભલક્ષ્‍મીમાં એક અત્યંત સાદાંસરળ અને નમ્ર મહિલાનું દર્શન સદાકાળ માટે થતું રહ્યું છે. તેમણે કરેલા અનેક સંગીત કાર્યક્રમોની આવક તેમણે સેવાકાર્યો માટે અર્પણ કરી છે.
તેમના ભજનોમાંથી આધ્યાત્મિક ભક્તિનો રણકાર સંભળાય છે. સંગીત-ક્ષેત્રે તેમણે જે સફળતા પ્રાપ્‍ત કરી છે તેથી ભારતીય સંગીતનું સ્થાન વિશ્વ-ચોકમાં અનન્ય બન્યું છે.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular