કસ્તૂરભાઈ લાલભાઈ

http://gujarat-help.blogspot.com/

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને શીલભદ્ર શ્રેષ્‍ઠી : કસ્તૂરભાઈ લાલભાઈ
http://www.gurjari.net/uploaded/gallery/vishva/kasturbhai.jpgભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને શીલભદ્ર શ્રેષ્‍ઠી
દેશભરના ઉદ્યોગપતિઓમાં અગ્રસ્થાન મેળવી કસ્તૂરભાઈ લાલભાઈએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું અને અમદાવાદના કાપડઉદ્યોગમાં પોતાની કુશાગ્ર બુદ્ધિકુનેહ અને પ્રતિભાથી મિલોનું માતબર સંકુલ સ્થાપ્‍યું. ઈ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે અમદાવાદમાં એમનો જન્મ થયો. ગર્ભશ્રીમંત પરિવારમાં તેઓ બીજા પુત્ર હતા. દાદા દલપતભાઈ ભનુભાઈ ઉદ્યોગક્ષેત્રે અગ્રેસર હતા. પિતા લાલભાઈ સ્થાનિક જૈન સમાજના મોવડી હતા. લાલભાઈ શિસ્તના કડક આગ્રહી હતા અને બાળકો પાસે પણ એવી જ અપેક્ષા રાખતા. ધર્મમાં શ્રદ્ધાવાન એમના પરિવારમાં ધાર્મિક નીતિઓનું ચુસ્ત પાલન થતું. ધર્મના પૂરા સંસ્કારો માતા મોહિનીબહેને પુત્રમાં ઉતાર્યા હતા. મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી કસ્તૂરભાઈ કૉલેજમાં બેઠા ત્યાં જ પિતાનો સ્વર્ગવાસ થતાંમાતાની આજ્ઞા મુજબમિલનો કારોબાર સંભાળ્યો. આ પ્રસંગથી એમના જીવનનો રાહ સુનિશ્ચિત થઈ ગયો. સતત કર્તવ્યપરાયણતાનો એ માર્ગ હતો.
લગભગ સાત દાયકાથી અવિરતપણે ચાલેલી એમની કામગીરીને કંઈક આ રીતે વહેંચી શકાયઃ દેશ-વિદેશમાં ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ તરીકેગુજરાતના શ્રેષ્‍ઠ મહાજન તરીકેજૈન સંઘના મુખ્ય અગ્રણી તરીકે અને બાંધકામ તથા જીર્ણોદ્ધારના નિષ્‍ણાત તરીકેરાજમાન્ય અને પ્રજામાન્ય પોતાના વડવાઓની નામનાને એમણે વધારી હતી. જનહિતનાં કાર્યોમાં તથા લોકોની મુશ્કેલીઓના સમયે એમણે માર્ગદર્શન આપ્‍યું હતું. ઈ. ૧૯૧૮માં ગુજરાતમાં વ્યાપેલા દુષ્‍કાળ વખતે એમણે ઘેર ઘેર ફરીને એ કાળે માતબાર એવી ત્રણ લાખની રકમ એકત્ર કરી દીનદુખિયાંઓને સહાય પહોંચાડી હતી. એ જ રીતે ઈ. ૧૯૨૭માં રેલસંકટ વેળા પણ એમણે તારાજ થઈ ગયેલાં ગામડાંઓને બેઠાં કરવામાં પ્રબળ પુરુષાર્થ કર્યો હતો.
પદહોદ્દા કે અધિકાર માટે એમણે કદી એષણા દાખવી ન હતી. છતાં જો કોઈ મોટી જવાબદારી તેમને સોંપાતી તો કર્તવ્યધર્મરૂપે તેને સ્વીકારીને તે જવાબદારીને તેઓ બાહોશીથી પાર પાડી આપતા. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ડિરેકટર તરીકેઆઈ. એલ.ઓ.માં ભારતના પ્રતિનિધિ તરીકેકંડલા પોર્ટ વિકાસના ચેરમેન તરીકેસરકારની કરકસરની પગલાંસમિતિના અધ્યક્ષ તરીકેરશિયામાં પ્રતિનિધિ મંડળના મોવડી તરીકેહૈદરાબાદમૈતુર અને ત્રાવણકોરના ઉદ્યોગોમાં ધિરાણની મોટી રકમોની તપાસના એક વ્યક્તિના પંચ તરીકેકાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ બોર્ડના કાર્યવાહક સભ્ય તરીકેઅટીરાના પ્રેરક તરીકે તથા અન્ય સંખ્યાબંધ લોકોપયોગી સંસ્થાઓમાં સેવા આપી છે.
રાણકપુરદેલવાડા અને શત્રુંજ્યનાં જગવિખ્યાત જૈન મંદિરોના જીર્ણોદ્ધારનો પણ મોટો યશ એમને ઘટે છે. આ કાર્યમાં અનેકવિધ પ્રશ્નોનો એમને સામનો કરવો પડેલો પણ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને ધીરતાથી એમણે એ કાર્યો પાર પાડ્યાં હતાં. અતુલ‘ એ એમનું રસાયણક્ષેત્રે સાકાર થયેલું એક ભવ્ય સ્વપ્‍ન છે. ઈ. ૧૯૨૩માં દિલ્હીની ધારાસભામાં પણ એ જઈ આવેલા. પરંતુ સક્રિય રાજકારણ એ કદાચ એમને રૂચે એવો વિષય નહોતો. તેમના મારફત થયેલી રૂપિ‍યા બેએક કરોડની સખાવતોમાંથી એક કરોડ તો કેળવણી માટે આપ્‍યા છે. પરિવારની સખાવતથી અમદાવાદમાં સ્થપાયેલ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર‘ દેશવિદેશના વિદ્યાર્થીઓ માટે વિદ્યાના તીર્થધામ સમું બની ગયું છે. ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટની સ્થાપનામાં પણ એમનો ફાળો મહત્વનો રહ્યો છે.
ગર્ભશ્રીમંત પરિવારના મોવડી હોવા છતાં તેમનું અંગત જીવન સાદગી અને કરકસરભર્યું હતું. તેઓ અત્યંત ચીવટવાળા હતા. તેમનું પુસ્તકાલય ડિકન્સદ્યુમારસ્કિનસ્ટીવન્સનચર્ચિલમેકૉલે વગેરેનાં પુસ્તકોથી ભરપૂર છે. પૌરાણિક અને ધાર્મિક હસ્તપ્રતોનો આગવો અને સમૃદ્ધ સંગ્રહ તેમણે કર્યો હતો.
છેલ્લા થોડા સમયથી બીમાર પડ્યા તેથી લગભગ નિવૃત્ત હતા. અવસાન અગાઉ ત્રણ દિવસ પર તેઓ અતુલની એક મિટિંગ માટે ગયા હતા. ત્યાં તબિયત બગડી અને અમદાવાદ પરત આવ્યા. ત્રીજે દિવસે ઈ. ૧૯૮૦ના જાન્યુઆરીની વીસમી તારીખે ૮૫ વર્ષ ૧ માસ અને ૧ દિવસની અવધે એમનું અવસાન થયું. કસ્તૂરભાઈએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ રહેવી ન જોઈએ.‘ એમ જ થયું. કસ્તૂરભાઈ પરલોક સિધાવ્યા છતાં તેમના બધા એકમોમાં કામ ચાલુ રહ્યું. મજૂરોને બે દિવસનો પગાર મળ્યો અને મજૂરકલ્યાણ ભંડોળમાં પરિવારે ૭-૮ લાખ રૂપિ‍યા જમા કરાવ્યા.


No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular