ગુજરાત ના રાજ-રજવાડાં

http://gujarat-help.blogspot.com/
 
રાજ-રજવાડાં
અવિસ્મરણીય રાજવી – સિદ્ધરાજ જયસિંહ
જન્‍મ : અનિશ્ચિત
મૃત્‍યુ : આશરે ઈ. સ. 1143
જન્‍મસ્‍થળ : અણહિલપુર પાટણ
જીવનકાર્ય : ગુર્જર ભૂમિને સત્તા અને પ્રતિષ્‍ઠાની પરાકાષ્‍ઠાએ પહોંચાડ્યું, વિદ્યા અને કળાને ઉત્તેજન, સિદ્ધપુરના રુદ્રમહાલય અને પાટણમાં સહસ્‍ત્રલિંગ તળાવનું બાંધકામ, દાનવીર.
અમદાવાદનો સ્થાપક – અહમદ શાહ
જન્‍મ : 18 – 11 – 1392
મૃત્‍યુ : 1445
જન્‍મસ્‍થળ : દિલ્‍લી
જીવનકાર્ય : અમદાવાદનો પાયો નાંખ્‍યો, પવિત્ર જીવન, ભદ્રનો કિલ્‍લો, જુમ્‍મા મસ્જિદ, હૈબતખાનની મસ્જિદ, ત્રણ દરવાજાના નિર્માતા.
સવાયા રાજા – સયાજીરાવ ગાયકવાડ
જન્‍મ : 11 –3 – 1863
મૃત્‍યુ : 6 – 2 – 1939
જન્‍મસ્‍થળ : કવલાણા (મહારાષ્‍ટ્ર)
જીવનકાર્ય : વડોદરા રાજ્યના પ્રગતિશીલ રાજવી, મફત અને ફરજિયાત કેળવણી, ખેતીવાડી તથા ઉદ્યોગનું શિક્ષણ આપતી સંસ્‍થાઓની સ્‍થાપના, ગામેગામ પુસ્‍તકાલયો બંધાવ્‍યાં, અત્‍યંજો માટે શાળાઓ અને છાત્રાલયો, નારી વિકાસ, કાયદો અને વ્‍યવસ્‍થા સર્જી.
ભાવનગર ઉદ્ધારક – ગૌરીશંકર ઓઝા (ગગા ઓઝા)
જન્‍મ : 21 – 8 – 1805
મૃત્‍યુ : 1 – 12 – 1891
જન્‍મસ્‍થળ : ઘોઘા પાટણ
જીવનકાર્ય : ભાવનગર રાજ્યના કારભારી તરીકે સો જેટલી શાળાઓ શરૂ કરી, મહેસૂલ પદ્ધતિમાં સુધારણા કરી, ન્‍યાયપદ્ધતિની પુનરર્ચના કરી, પોલીસદળને શિસ્‍તબદ્ધ કર્યું, ગૌરીશંકર તળાવ બંધાવ્‍યું.
પ્રજાવત્સલ રાજવી – ગોંડલ નરેશ ભગવતસિંહજી
જન્‍મ : 24 – 10 – 1865
મૃત્‍યુ : 1945
જન્‍મસ્‍થળ : ધોરાજી (સૌરાષ્‍ટ્ર)
જીવનકાર્ય : ભગવદ્દગોમંડળ કોશનું સંપાદન, હોસ્પિ‍ટલ, હુન્‍નરશાળા, કેળવણીની અનેક સંસ્‍થાઓ સ્‍થાપી, દરબારી ગેઝેટ પ્રગટ કર્યું, જકાત માફી આપી વેપાર-ઉદ્યોગને ઉત્તેજન આપ્‍યું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular