ગૌરવશાળી ગુજરાતીઓ

http://gujarat-help.blogspot.com/

ગૌરવશાળી ગુજરાતીઓ

દુર્ગારામ મહેતાજી : ગુજરાતમાં સુધારાની પ્રવૃત્તિ કરનાર નીડર અગ્રણી વ્‍યક્તિ.
વાલચંદ હીરાચંદ : ભારતના વહાણવટાના સર્જક સિધિયા ‍સ્‍ટીમ નેવિગેશના સ્‍થાપક.
ત્રિભુવનદાસ ગજ્જર : જાણીતા વૈજ્ઞાનિક, વડોદરામાં એલિમ્બિકઅને કલાભવનઆપનાર.
હરભાઈ ત્રિવેદી : ભાવનગરમાં ઘરશાળાશરૂ કરી શિક્ષણને દિશા ચિંધનાર.
બળવંતરાય મહેતા : પંચાયતી રાજ્યના પ્રણેતા, ગુજરાતના માજી મુખ્‍યમંત્રી.
મગનભાઈ દેશાઈ : પ્રખર ગાંધીવાદી, શિક્ષણવિદ્દ અને વિચારક.
ચંદુલાલ ત્રિવેદી : કપડવંજના વિદ્વાન, આઈ. સી. એસ. પાસ કરી વહીવટી કુશળતા સિદ્ધ કરનાર, આઝાદ ભારતમાં આન્‍ધ્રના રાજ્યપાલ બનનાર.
હરસિદ્ધભાઈ દિવેટિયા : વહીવટકુશળ રાજનીતિજ્ઞ અને કેળવણીકાર, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્‍સેલર બનનાર.
યશવંત શુકલ : ગુજરાતનું સાંકૃતિક અને સાહિત્યિક જીવન ઘડનાર અગ્રણી સમાજશાસ્‍ત્રી અને સાહિત્‍યસેવક, રાષ્‍ટ્રહિત ચિંતક.
ડો. રવીન્‍દ્રભાઈ એચ. દવે : વિશ્વમાન્‍ય શિક્ષણવિદ્દ, આર્ષદ્રષ્‍ટા કેળવણીકાર, બહુશ્રુત પ્રતિભાસંપન્ન વિચારક.
ચીમનભાઈ જે. પટેલ : ગુજરાતના રાજકારણમાં નવું બળ અને જોમ આપનાર, નર્મદા યોજનાના પુરસ્‍કર્તા, માજી મુખ્‍યમંત્રી.
ઉપેન્‍દ્ર ત્રિવેદી : ફિલ્‍મ જગતના કલાકાર, નટસમ્રાટનું બિરુદ પામનાર, ગુજરાતની સાંકૃતિક પ્રવૃતિઓના પુરસ્‍કર્તા.
મોરારી બાપુ : તલગાજરડાના પ્રાથમિક શિક્ષકમાંથી રામકથાના પ્રસિદ્ધ ગાયક બની દુનિયાભરના લોકોને કથારસપાન કરાવનાર.
ગુલઝારીલાલ નંદા : ચુસ્‍ત ગાંધીવાદી મજૂર નેતા, ભારતના બે વખત કાર્યકારી વડા પ્રધાન બન્‍યા, ‘ભારત રત્‍નથી સન્‍માનિત.
ધીરુભાઈ અંબાણી : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક જીવનમાં ક્રાન્તિ આણનાર સાહસિક ઉદ્યોગપતિ.
અરવિંદ એન. મફતલાલ : મફતલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝના નેજા નીચે ન્‍યુ શોરોક મિલના ઉત્તમ કાપડ દ્વારા ઔદ્યોગિક દુનિયામાં જેમનું નામ છે તેવા અરવિંદભાઈ શેઠ, ગુજરાતની આપત્તિઓમાં ખડે પગે રહેનાર.
નાનુભાઈ અમીન : વડોદરાના પ્રગતિશીલ રાજ્યમાં એલેમ્બિકદ્વારા વૈદ્યકીય ક્ષેત્રે દવાઓનું ઉત્‍પાદન કરી ગુજરાતની સેવા કરનાર.
ત્રિભુવનદાસ કે. પટેલ : અમૂલ ડેરીની સ્‍થાપના કરી શ્વેતક્રાન્તિનો પાયો નાખનાર.
ડો. આઈ. જી. પટેલ : અર્થશાસ્‍ત્ર નિષ્‍ણાત ડો. પટેલ ભારતીય રિઝર્વ બેન્‍કના ગવર્નર સુધીના ઉચ્‍ચ હોદ્દા ભારતમાં અને વિશ્વમાં ભોગવનાર.
સામ પિત્રોડા : ટેલિકોમ્‍યુનિકેશન (સંદેશાવ્‍યવહાર)ની દુનિયામાં ક્રાન્તિ લાવનાર.
કે. લાલ (કાન્તિલાલ) : વર્તમાન વિશ્વનો વિખ્‍યાત જાદુગર, પોતે ગુજરાતી છે તેનું ગુજરાતને ગૌરવ આપનાર.
ડો. પી. સી. વૈદ્ય : ગણિતશાસ્‍ત્રના નિષ્‍ણાત ગાંધીવાદી કેળવણીકાર.
ગીત શેઠી : બિલિયર્ડ તથા સ્‍નૂકરના આંતરરાષ્‍ટ્રીય વિજેતા.
મોતીલાલ સેતલવડ : કાયદો અને ન્‍યાયવિદ્દ, સ્‍વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ.
પરેશ રાવલ : હિન્‍દી ફિલ્‍મોના પ્રખ્‍યાત વિલન, સરદાર પટેલની સુંદર ભૂમિકા ભજવનાર.
અરુણા ઈરાની : ગુજરાતી ફિલ્‍મોની અભિનેત્રી, હિન્‍દી ફિલ્‍મોમાં સહાયક અભિનેત્રી.
અસરાની : ગુજરાતી ફિલ્‍મોના અભિનેતા, હિન્‍દી ફિલ્‍મોના સહાયક અભિનેતા.
અરવિંદ ત્રિવેદી : રામયણસિરિયલમાં રાવણના પાત્રમાં નોંધપાત્ર અભિનય આપનાર.
નયન મોગિયા : વડોદરાનો ક્રિકેટ ખેલાડી, ભારતનો ભૂતપૂર્વ વિકેટ‍કીપર.
પાંડુરંગ શાસ્ત્રિજી આથવલે : ભારતની વૈચારિક ક્રાંતિના પ્રણેતા, સ્‍વાધ્‍યાયપ્રવૃત્તિના પુરસ્‍કર્તા, એગ્‍સેસે એવોર્ડ વિજેતા.
પૂ. સ્‍વામી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) : ગુજરાતમાં વૈચારિક ક્રાન્તિના પુરસ્‍કર્તા, પ્રખર વિચારક અને આદર્શ સાધુપુરુષ.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular