ગુજરાતમાં દુકાળના ભણકારા વાવેતર નાશ પામવાની ભીતિ

http://gujarat-help.blogspot.com/

ગુજરાતમાં દુકાળના ભણકારા વાવેતર નાશ પામવાની ભીતિ

વરસાદ આ વર્ષે ખેડૂતોની પરીક્ષા કરતો હોય તેમ લાંબા સમયથી રાજ્યનો મોટાભાગનો વિસ્તાર કોરાધાકોડ રહેવા પામતાં ખેતીને મોટો ફટકો પડવાની દહેશત સેવાઇ રહી છે. લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા હવે રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. આગામી ૩૧મી જુલાઇ સુધીમાં વરસાદ નહીં પડે તો તમામ વાવેતર નાશ પામવાની ભીતિ સેવાઇ રહી છે. દુષ્કાળની સંભવિત સ્થિતિ સામે તકેદારીના ભાગરૂપે તમામ જિલ્લાઓમાંથી પાક અને પાણીની સ્થિતિનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. 
વરસાદ ખેંચાતા કૃષિ ઉપર સંકટઃ 
૧૧ તાલુકા સાવ વાવેતર વિહોણા,કન્ટિજન્સી પ્લાનનો અમલ શરૂ રાજ્યમાં આ વર્ષે વરસાદના રીસામણાને કારણે દુષ્કાળના એંધાણ વર્તાઇ રહ્યા છે. ૧૫મી જૂનથી રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થાય છે ત્યારે હજી સુધી મોટાભાગના વિસ્તારમાં જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. ખેતી માટે અષાઢ મહિનાનો વરસાદ સૌથી મહત્વનો ગણાય છે. પરંતુ આ વર્ષે અષાઢ કોરો રહ્યો છે. હજી પણ વરસાદના એંધાણ નથી ત્યારે કૃષિ વાવેતરને મોટો ફટકો પડવાની દહેશત ઉભી થઇ છે. 
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશના માત્ર ૨૭ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા વાવેતર બળી જવાની ચિંતા ખેડૂતોમાં ફેલાઇ ગઇ છે. રાજ્યમાં ખેતી લાયક વિસ્તારના ૬૭ ટકા એટલે કે ૫૭.૯૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તો વરસાદના અભાવે સાવ વાવેતર થઇ શક્યું નથી. 
હજી સુધી વરસાદ ખેંચાતા હવે રાજ્યમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ૩૧મી જુલાઇ સુધીમાં વરસાદ નહીં પડે તો સંપૂર્ણ વાવેતર નાશ પામવાની ભીતિ છે. સરકાર દ્વારા આ માટેના આગોતરા પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે. કૃષિનો કન્ટીજન્સી પ્લાન તૈયાર કરી સબંધિત અધિકારીઓને આપી દેવામાં આવ્યો છે. તેના અમલીકરણ માટે સૂચનાઓ અપાઇ છે. દરેક જિલ્લામાંથી વાવેતર અને વરસાદની વિગતો મંગાવવામાં આવી છે. પીવાના પાણીની સ્થિતિ અંગેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે.૩૧મી સુધીમાં સાવ વરસાદ નહીં પડે તો રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય તેવી શક્યતા છે. 

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular