http://gujarat-help.blogspot.com/
ભારતની શ્રેષ્ઠ ધાવિકા
તેમનું પૂરું નામ પલ્લવુલ્લાખંડી થક્કેપરમબિલ ઉષા. તેમનો જન્મ કેરળના પાયલ નામના ગામમાં ઈ. ૧૯૬૪ના મે માસની ૨૦મી તારીખે થયો. ઈ. પી. એમ. પ્યામલ. પાયલમાં તે કાપડની દુકાન ચલાવતા.
ભારતનછ શ્રેષ્ઠ દોડનાર અને ભારતીય ખેલકૂદક્ષેત્રે મિલ્ખાસિંહ પછી તેજ દોડનાર તરીકે ભારતનું નામ ઉજાળનાર પી.ટી. ઉષા ૧૨ વર્ષની હતી ત્યારથી જ ખેલકૂદ સ્પર્ધાઓમાં અગ્રસ્થાન મેળવતી હતી. જે શાળામાં તે અભ્યાસ કરતાં ત્યાંના વ્યાયામ-શિક્ષક ઓ. એમ. નામ્બિયારે ઉષામાં રહેલી શક્તિ પારખી અને વિશિષ્ટ તાલીમ આપવી શરૂ કરી. ઉષાએ કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો છે. આંતરરાષ્ટ્રિય ખેલકૂદક્ષેત્રે નામના પ્રાપ્ત કરનારાં પી.ટી. ઉષા હાલ ભારતીય રેલવેમાં કલ્યાણ અધિકારી તરીકે નોકરી કરે છે.
ઈ. ૧૯૭૬માં ઉષાએ રાષ્ટ્રીય સ્તરે ખેલકૂદની હરીફાઈમાં પહેલી વખત ભાગ લીધો હતો. આ હરીફાઈમાં ઉષા ૧૦૦ મીટર દોડ, ૮૦ મીટર દોડ, લાંબો કૂદકો તથા રીલે રેસમાં ચાર સુર્ણચંદ્રકો જીતવા સદ્દભાગી બન્યાં હતાં. ઈ. ૧૯૭૮માં રાષ્ટ્રીય સ્તરે સર્વ વિદ્યાલયોની ખેલકૂદ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં પણ ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ તથા ૬૦ મીટર વિધ્ન-દોડમાં વિજ્ય પ્રાપ્ત કર્યો હતો. ઈ. ૧૯૮૨ના એશિયાઈ ખેલોમાં તેમણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડસ્પર્ધામાં સુવર્ણપદક મેળવ્યો હતો. ઈ. ૧૯૮૩માં કુવૈતમાં યોજાયેલી એશિયાઈ ખેલકૂદ સ્પર્ધામાં ઉષા ઝળકી ઊઠ્યાં હતાં. ૪૦૦ મીટર દોડસ્પર્ધામાં તેમણે સુવર્ણચંદ્ર અને ૨૦૦ મીટર દોડસ્પર્ધામાં રૌપ્યચંદ્રક હાંસલ કર્યો હતો. ઈ. ૧૯૮૪માં અમેરિકામાં લૉસ એંજલસ ખાતે તેવીસમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. તે રમતોત્સવમાં દોડસ્પર્ધામાં તેમણે પ્રથમવાર ભાગ લીધો હતો પરંતુ એક સેકંડના સોમા ભાગ જેટલા તફાવતથી તેમને ચંદ્રક મળ્યો નહોતો.
ઈ. ૧૯૮૫માં ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા ખાતે છઠ્ઠી એશિયાઈ ખેલકૂદ સ્પર્ધા યોજાઈ ત્યારે પી.ટી. ઉષાએ પાંચ સુવર્ણચંદ્રકો જીતી ઑલિમ્પિક ખેલકૂદનું સાટું વાળી આપ્યું હતું. આ રમતોત્સવમાં તેમણે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર વિધ્નદોડ અને ૪ × ૪૦૦ મીટર રીલે રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. આ જ્વલંત સફળતા બદલ તેમને ‘એશિયાઈ‘ ખેલકૂદ-રાણીનો‘ ઇલકાબ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૬માં દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાં દસમો એશિયાઈ રમતોત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં પી.ટી. ઉષાએ પાંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ચાર સુવર્ણચંદ્રકો જીતી જગતના ખેલકૂદ ક્ષેત્રે ભારતને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું હતું.
ઈ. ૧૯૮૬માં ભારત સરકારે પી.ટી. ઉષાને ‘પદ્મશ્રી‘નો ખિતાબ અને ‘અર્જુન‘ ઍવૉર્ડ અર્પણ કરી તેમની દોઢશક્તિની કદર કરી હતી. અમેરિકાની યુનાઈટેડ સ્ટેટ્સ સ્પોર્ટસ અકાદમીએ ઈ. ૧૯૮૭માં ‘એશિયન એથલેટ –‘૮૬‘નો ખિતાબ એનાયત કર્યો હતો અને ‘શેખ મોહમદ બીન-ઇન્સા અલ ખલીફા‘ ટ્રોફી પણ આપી હતી. ઈ. ૧૯૮૭માં તેમણે ઇટાલીના રોમ ખાતે યોજાયેલી વિશ્વ-ખેલકૂદની પાંચ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ઈ. ૧૯૮૮માં સેઉલ ઑલિમ્પિક્સમાં પણ તેમણે ભાગ લીધો હતો. પરંતુ પગની એડીમાં ઈજા થવાને કારણે તેમને વિજય સાંપડ્યો નહોતો.
પી ટી. ઉષા

તેમનું પૂરું નામ પલ્લવુલ્લાખંડી થક્કેપરમબિલ ઉષા. તેમનો જન્મ કેરળના પાયલ નામના ગામમાં ઈ. ૧૯૬૪ના મે માસની ૨૦મી તારીખે થયો. ઈ. પી. એમ. પ્યામલ. પાયલમાં તે કાપડની દુકાન ચલાવતા.
ભારતનછ શ્રેષ્ઠ દોડનાર અને ભારતીય ખેલકૂદક્ષેત્રે મિલ્ખાસિંહ પછી તેજ દોડનાર તરીકે ભારતનું નામ ઉજાળનાર પી.ટી. ઉષા ૧૨ વર્ષની હતી ત્યારથી જ ખેલકૂદ સ્પર્ધાઓમાં અગ્રસ્થાન મેળવતી હતી. જે શાળામાં તે અભ્યાસ કરતાં ત્યાંના વ્યાયામ-શિક્ષક ઓ. એમ. નામ્બિયારે ઉષામાં રહેલી શક્તિ પારખી અને વિશિષ્ટ તાલીમ આપવી શરૂ કરી. ઉષાએ કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો છે. આંતરરાષ્ટ્રિય ખેલકૂદક્ષેત્રે નામના પ્રાપ્ત કરનારાં પી.ટી. ઉષા હાલ ભારતીય રેલવેમાં કલ્યાણ અધિકારી તરીકે નોકરી કરે છે.
ઈ. ૧૯૭૬માં ઉષાએ રાષ્ટ્રીય સ્તરે ખેલકૂદની હરીફાઈમાં પહેલી વખત ભાગ લીધો હતો. આ હરીફાઈમાં ઉષા ૧૦૦ મીટર દોડ, ૮૦ મીટર દોડ, લાંબો કૂદકો તથા રીલે રેસમાં ચાર સુર્ણચંદ્રકો જીતવા સદ્દભાગી બન્યાં હતાં. ઈ. ૧૯૭૮માં રાષ્ટ્રીય સ્તરે સર્વ વિદ્યાલયોની ખેલકૂદ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં પણ ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ તથા ૬૦ મીટર વિધ્ન-દોડમાં વિજ્ય પ્રાપ્ત કર્યો હતો. ઈ. ૧૯૮૨ના એશિયાઈ ખેલોમાં તેમણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડસ્પર્ધામાં સુવર્ણપદક મેળવ્યો હતો. ઈ. ૧૯૮૩માં કુવૈતમાં યોજાયેલી એશિયાઈ ખેલકૂદ સ્પર્ધામાં ઉષા ઝળકી ઊઠ્યાં હતાં. ૪૦૦ મીટર દોડસ્પર્ધામાં તેમણે સુવર્ણચંદ્ર અને ૨૦૦ મીટર દોડસ્પર્ધામાં રૌપ્યચંદ્રક હાંસલ કર્યો હતો. ઈ. ૧૯૮૪માં અમેરિકામાં લૉસ એંજલસ ખાતે તેવીસમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. તે રમતોત્સવમાં દોડસ્પર્ધામાં તેમણે પ્રથમવાર ભાગ લીધો હતો પરંતુ એક સેકંડના સોમા ભાગ જેટલા તફાવતથી તેમને ચંદ્રક મળ્યો નહોતો.
ઈ. ૧૯૮૫માં ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા ખાતે છઠ્ઠી એશિયાઈ ખેલકૂદ સ્પર્ધા યોજાઈ ત્યારે પી.ટી. ઉષાએ પાંચ સુવર્ણચંદ્રકો જીતી ઑલિમ્પિક ખેલકૂદનું સાટું વાળી આપ્યું હતું. આ રમતોત્સવમાં તેમણે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર વિધ્નદોડ અને ૪ × ૪૦૦ મીટર રીલે રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. આ જ્વલંત સફળતા બદલ તેમને ‘એશિયાઈ‘ ખેલકૂદ-રાણીનો‘ ઇલકાબ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૬માં દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાં દસમો એશિયાઈ રમતોત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં પી.ટી. ઉષાએ પાંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ચાર સુવર્ણચંદ્રકો જીતી જગતના ખેલકૂદ ક્ષેત્રે ભારતને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું હતું.
ઈ. ૧૯૮૬માં ભારત સરકારે પી.ટી. ઉષાને ‘પદ્મશ્રી‘નો ખિતાબ અને ‘અર્જુન‘ ઍવૉર્ડ અર્પણ કરી તેમની દોઢશક્તિની કદર કરી હતી. અમેરિકાની યુનાઈટેડ સ્ટેટ્સ સ્પોર્ટસ અકાદમીએ ઈ. ૧૯૮૭માં ‘એશિયન એથલેટ –‘૮૬‘નો ખિતાબ એનાયત કર્યો હતો અને ‘શેખ મોહમદ બીન-ઇન્સા અલ ખલીફા‘ ટ્રોફી પણ આપી હતી. ઈ. ૧૯૮૭માં તેમણે ઇટાલીના રોમ ખાતે યોજાયેલી વિશ્વ-ખેલકૂદની પાંચ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ઈ. ૧૯૮૮માં સેઉલ ઑલિમ્પિક્સમાં પણ તેમણે ભાગ લીધો હતો. પરંતુ પગની એડીમાં ઈજા થવાને કારણે તેમને વિજય સાંપડ્યો નહોતો.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site