પન્નાલાલ પટેલ

http://gujarat-help.blogspot.com
પન્નાલાલ પટેલ :-
            ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭-૫-૧૯૧૯ના રોજ રાજસ્થાનના એક ગામડામાં થયો હતો. માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું. ખેતરમાં મજૂરી કરી અને વાસણ-કપડાય ધોયા. ત્યારે કોઈને કલ્પના પણ નહિ હોય કે એક દિવસ પનામાંથી પન્નાલાલ થઈ ગુજરાતનો સમર્થ, વિચક્ષણ સાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુષુપ્ત સર્જક સરવાણી અવિરત વહેવા માંડી. પરિણામ સ્‍વરૂપેમાનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’, ‘વળામણાંજેવી ચાલીસેક જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને મળી. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે લગભગ ૧૮૫ જેટલી સાહિત્યકૃતિઓ ભેટ ધરી છે. તે ગુજરાતી સાહિત્યને એમનું નાનુસુનું પ્રદાન નથી. ઈ.સ. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ. ૧૯૮૬માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો. શ્રી અરવિંદ અને માતાજીમાં તેમને પૂર્ણ શ્રદ્ધા. તેમની સર્જનકૃતિઓ પોતાના પ્રકાશગૃહ સાધન પ્રકાશનદ્વારા જ પ્રગટ થતા રહ્યાં હતા. તા. ૬-૪-૧૯૮૯ના રોજ તેમનું દુ:ખદ અવસાન થયું હતું. હૈયા ઉલકત અને અનુભૂતિની સચ્ચા‍ઈ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઊઠયું અને ગુજરાતી સાહિત્ય જગત માલામાલ થઈ ગયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular