http://gujarat-help.blogspot.com/
પંચાયતી રાજ
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
ગુજરાતમાં પંચાયતી રાજ બિનસરકારી સંગઠનોનો સહયોગ
|
||||||||||||||||||||||
આપણી સામજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ
પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે.
મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ વર્ણવેલ છે. ગ્રામસ્વરાજ એટલે
સંપૂર્ણપણે પોતાની વિશાળ ઇચ્છાઓ માટે પડોશીઓથી સ્વતંત્ર પરંતું અંદરો-અંદર
એકબીજા પર આધારિત ગણતંત્ર
|
||||||||||||||||||||||
પંચાયત શબ્દને બે ભાગમાં વિભાજીત કરી શકાય. પંચ અને આયત. પંચ શબ્દ સંસ્કૃત
અને ગુજરાતી ભાષામાં પણ પાંચની સંખ્યાના અર્થમાં વપરાય છે. પંચ ત્યાં પરમેશ્વરની
પૌરાણિક ઉકિતમાં શ્રધ્ધા ધરાવે છે. વૈદિક કાળથી ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં
આવે છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. ગંગા અને જમના નદી
વચ્ચેના લોક વસવાટ વખતે પૃથુ રાજાએ પંચાયત પધ્ધતિ દાખલ કર્યાનું માનવામાં આવે
છે. બ્રિટીશ સાશન દરમ્યાન પંચાયતોની સ્થાપનાના અધકચરા પ્રયાસો હાથ ધરવામાં આવેલ
હતા. ૧૯૦૭ માં નિમાયેલા વિકેન્દ્રીકરણ અંગેના રોયલ કમિશને પોતાના અહેવાલમાં
જણાવ્યુ છે કે, અગાઉ આ ગામડા
વિપુલ પ્રમાણમાં સ્વાયત્તતા ભોગવતા હતા.
|
||||||||||||||||||||||
ગુજરાતમાં પંચાયતી રાજ બિનસરકારી સંગઠનોનો સહયોગ
|
||||||||||||||||||||||
રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન ગ્રામ પંચાયતો અને નેતાઓના મંતવ્યો મુજબ સ્થાનિક સ્વરાજની યોજનાને આવકારતા ઉપરના સ્તર સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચૂંટાયેલી હોય અને તેને પૂરતી નાણાંકીય મદદથી ટેકો આપવા માટે સરકાર વહેલાસર પગલા લેશે.
|
||||||||||||||||||||||
ગુજરાત રાજયમાં પંચાયતી રાજની શરૂઆત બળવંતરાય મહેતા અભ્યાસ જુથની લોકશાહી વિકેન્દ્રીકરણ અર્થાત પંચાયતી રાજ વિશેની ભલામણોના અમલથી શરૂ થયેલ છે. ત્યારબાદ સમયાતંરે જુદી જુદી સમિતિઓ અને તેની ભલામણોના અમલ બાદ ગુજરાતમાં પંચાયતી રાજની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવેલ છે. ભારતીય સંવિધાનના ૭૩ માં સુધારા બાદ ગુજરાતમાં પંચાયત અધિનિયમ-૧૯૯૩ અમલમાં આવેલ છે. જેમા ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ તંત્રની પધ્ધતિ ચાલુ રાખવામાં આવી છે.
|
||||||||||||||||||||||
વિકાસ અંગેનું તંત્ર
|
||||||||||||||||||||||
ગુજરાતમાં પંચાયતી રાજના અમલ બાદ લોકશાહી વિકેન્દ્રીકરણની પાયાની બાબતનો અમલ શરૂ થયા બાદ રાજયમાં પંચાયતી રાજને ગ્રામ વિકાસનું મહત્વનું સાધન સ્થાપિત કરવા પંચાયતી રાજને સતત સુદૃઢ, સંગીન અને સશકત બનાવવાના સતત પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. ગ્રામ વિકાસ કાર્યક્રમના અમલમાં જે તંત્ર રોકાયેલુ છે તેને વિકાસ લક્ષી વહીવટ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસલક્ષી વહીવટનો યોજનાના અમલીકરણના તેમજ સરકાર દ્વારા હાથ ધરાયેલા સામાજીક, આર્થિક બદલાવના કાર્યક્રમ માટે જરૂરી માળખાકીય સંગઠન અને વલણના સંદર્ભે ઉલ્લેખ થાય છે.
|
||||||||||||||||||||||
વિકાસલક્ષી વહિવટના મુખ્ય લક્ષણો
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
આધુનિક લોકતંત્રમાં લોકોની સમસ્યાઓ અને આશાઓને ઓળખીને તેનો સુમેળભર્યો ઉકેલ
ઝડપથી લાવી શકે તેવુ જાગૃત અને લાગણીશીલ વહીવટ તંત્ર અનિવાર્ય છે. ગુજરાતમાં
પંચાયતી રાજ અને બિનસરકારી સંગઠનોના સહયોગથી પંચાયતી રાજ વ્યવસ્થા ગોઠવવા પાછળનો
મુખ્ય ઉદ્દેશ રાખેલ છે કે જેમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ લોકોની
વચ્ચે રહીને સ્થાનિક સહયોગથી કલ્યાણકારી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવામાં
મહત્વનો ફાળો પ્રદાન કરે.
|
||||||||||||||||||||||
આમ, ઉપરોકત વિગતે
જોતા ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા પંચાયતી રાજ મારફત ગ્રામ વિકાસ અને લોક
કલ્યાણની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમાં બિનસરકારી સંગઠનોનો સહયોગ
આવકારદાયક અને ફળદાયી પરિણામો પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ મહત્વ ધરાવે છે તે
સ્વીકારવામાં આવ્યુ છે. લોકકલ્યાણની અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. પરંતુ
તેનો સંપૂર્ણ લાભ જનસમુદાય કે જે મહદ અંશે ગામડામાં વસે છે તેમના સુધી વધુને વધુ
પહોંચે તે અંત્યંત આવશ્યક છે.
|
||||||||||||||||||||||
આ વિકટ સમસ્યાના ઉકેલ માટે સર્વ પ્રથમ જરૂરી એ છે કે, સરકારી યોજનાઓ શી છે અને તેનો લાભ કઇ રીતે લઇ શકાય
તેવી વ્યાપક જાણકારી સમાજના ગ્રામ વિસ્તારના સામાન્ય માનવીને સરળ રીતે ઉપલબ્ધ
થાય તો આ યોજનાઓ પાછળ સરકારે કરેલ ફાળવણી સાચા અર્થમાં સાર્થક બને. રાજય
સરકારશ્રીની પંચાયતી રાજ દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાઓના અમલીકરણમાં
સહયોગી બનવા નિમંત્રિત કરવામાં આવે છે.
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
ગ્રામ સભા અંગેના નવીનત્તમ અભિગમ હેઠળ અત્યાર સુધીમાં કુલ દસ તબક્કાઓમાં ગ્રામસભાઓનું આયોજન કરેલ છે. જેમાં રજૂ થયેલ પ્રશ્નોનો મહદૃ અંશે નિકાલ કરવામાં આવેલ છે.
|
||||||||||||||||||||||
ગુજરાતના પંચાયતી રાજના વિશિષ્ટ લક્ષણો
|
||||||||||||||||||||||
ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓનો અમલ તા. ૧/૪/૧૯૬૩ થી ચાલુ છે. ત્યારબાદ ભારત સર કાર દ્વારા ૧૯૯૩ માં ૭૩ મો બંધારણીય સુધારો થતા જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ૧૯૯૩ ના કાયદા મારફતે અમલ શરૂ કરેલ છે. જેના વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ છે.
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
|
||||||||||||||||||||||
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site